શુક્રવાર, 23 માર્ચ, 2018


રાજસ્થાનના પોખરણમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરીક્ષણ

Image result for Successful,test,of,BrahMos,supersonic,cruise,missile,in,Pokhran,in,Rajasthan,

- ડીઆરડીઓની વધુ એક સિદ્ધિ : નિર્મલા સીતારામને અભિનંદન પાઠવ્યા

- ભારત-રશિયાના સંયુકત ઉપક્રમે તૈયાર થયેલ બ્રહ્મોસ મિસાઇલની મહત્તમ ક્ષમતા ૪૦૦ કિમી

ભારતે આજે રાજસ્થાનના પોખરણ ટેસ્ટ રેન્જમાંથી બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલનું સફળ પરિક્ષણ કર્યુ હતું. સંરક્ષણ પ્રધાન નિર્મલા સિતારમણે જણાવ્યું હતું કે મિસાઇલ નક્કી કરેલ લક્ષ્યાંકને પૂર્ણ કરવામાં સફળ રહી હતી. આ સફળતાથી ભારતની રાષ્ટ્રીય સુરક્ષા વધુ મજબૂત બની છે.

ઉલ્લેખનીય છે કે ત્રણ મહિના અગાઉ પ્રથમ વખત ઇન્ડિયન એરફોર્સના સુખોઇ-૩૦ એમકેઆઇ યુદ્ધ વિમાનમાંથી બ્રહ્મોસ ક્રૂઝ મિસાઇલનું સફળતાપૂર્વક પરિક્ષણ કરવામાં આવ્યું હતું. સિતારમણે ટ્વિટર પર જણાવ્યું હતું કે રાજસ્થાનના પોખરણ ટેસ્ટ રેન્જમાંથી સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ બ્રહ્મોસનું સવારે ૮.૪૨ વાગ્યે સફળ પરિક્ષણ કરવામાં આવ્યું હતું. મિસાઇલનું પરિક્ષણ ૧૦૦ ટકા સફળ રહ્યું હતું.

ભારત અને રશિયાના સંયુક્ત ઉપક્રમે તૈયાર કરવામાં આવેલ આ મિસાઇલની રેન્જ ૪૦૦ કિમી સુધી લઇ જઇ શકાય છે. ગયા વર્ષે ભારત મિસાઇલ ટેકનોલોજી કન્ટ્રોલ રિજિમ(એમટીસીઆર)નું સંપૂર્ણ સભ્ય બન્યા પછી કેટલાક ટેકનિકલ પ્રતિબંધ દૂર કરવામાં આવ્યા છે.

બ્રહ્મોસનું નિર્માણ ભારતની ડીઆરડીઓ અને રશિયાની એનપીઓ મશિનોસ્ટ્રોનિયા (એનપીઓએમ)એ સાથે મળીને કર્યુ છે. સંરક્ષણ પ્રધાને સફળ પરિક્ષણ બદલ ડીઆરડીઓને અભિનંદન પાઠવ્યા હતાં. બ્રહ્મોસ મિસાઇલ સુખોઇ યુદ્ધ વિમાન પર લઇ જવામાં આવેલું સૌથી વજનદાસ શસ્ત્ર હતું.



શહીદ દિવસ: ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવની આજે 87મી પુણ્યતિથિ


- શહીદે-આઝમ ભગતસિંહ, રાજગુરુ, સુખદેવને શ્રદ્ધાંજલિ


ભગતસિંહ, સુખદેવ થાપર અને શિવરામ રાજગુરુને  23 માર્ચ 1931ના રોજ અંગ્રેજ સરકાર દ્વારા નિર્દયતાપૂર્વક ફાંસી અપાઈ. ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુએ દેશ માટે થઈને શહીદી વહોરી લીધી હતી. ત્યારથી આપણા દેશમાં આ દિવસને શહીદ દીન તરીકે ઉજવવાય છે.

સમગ્ર દેશ આજે 'શહીદ દિવસ' મનાવી રહ્યો છે. દેશની સ્વાતંત્ર્ય ચળવળના ત્રણ દિવાના - ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને 87 વર્ષ પહેલા આજની જ તારીખે બ્રિટિશ શાસકોએ ફાંસી આપી હતી. આજે ત્રણેય શહીદની 87મી પુણ્યતિથિ છે. 1931ની 23 માર્ચે ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવને લાહોર સેન્ટ્રલ જેલમાં ફાંસી આપવામાં આવી હતી. બાદમાં પંજાબના ફિરોઝપુર જિલ્લાના હુસૈનીવાલા ખાતે સતલજ નદીના કાંઠા પર તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. એ જ જગ્યાએ સ્મારક બનાવવામાં આવ્યું છે.

1907
ની 28 સપ્ટેમ્બરે જન્મેલા ભગતસિંહ કિશોરવયથી જ ક્રાંતિકારી વિચારો ધરાવતા હતા અને બ્રિટિશરોના દમન સામે તેમણે જે સાહસ બતાવ્યું હતું તેને કારણે ભગતસિંહ હંમેશ માટે યુવાનોના આદર્શ બની ગયા.

1919
ની 13મી એપ્રિલે અમૃતસરના જલિયાંવાલા બાગમાં એકત્ર થયેલા સ્વતંત્રતા સેનાનીઓ પર જનરલ ડાયરે અંધાધૂંધ ગોળીબાર કર્યો એ ઘટનાની ભગતસિંહ ઉપર ઘેરી અસર થઈ અને ત્યારપછી તેમણે અભ્યાસ પણ છોડી દીધો અને સ્વતંત્રતા સંગ્રામમાં જોડાઈ ગયા.

પંજાબી ઉપરાંત હિન્દી, અંગ્રેજી, ઉર્દુ તેમજ બાંગ્લા ભાષાઓ પણ ભગતસિંહ જાણતા હતા. અંગ્રેજોના સકંજામાંથી દેશને સ્વતંત્ર કરાવવા માટે 'હિન્દુસ્તાન સોશિયાલિસ્ટ રિપબ્લિક એસોસિએશન' આયોજન અને અમલની વચ્ચે સમય મળે ત્યારે વાચન-લેખન પણ પુષ્કળ કરતા.

1929
ની 8મી એપ્રિલે અંગ્રેજોની સેન્ટ્રલ એસેમ્બલીમાં બોંબ ફેંક્યા પછી ભાગી જવાને બદલે પકડાઈ ગયા ત્યારથી 1931ની 23 માર્ચ સુધી તેઓ જેલમાં જ હતા અને એ દરમિયાન વિવિધ અખબાર-સામયિકમાં લેખ લખવા ઉપરાંત સાથીદારો અને પરિવાર સાથે પત્ર વ્યવહાર દ્વારા સંપર્કમાં રહેતા. આ પત્રો અને લેખો હજુ પણ યુવાનો માટે પ્રેરણાદાયી છે.

ભગતસિંહની એક ઈચ્છા હતી એકવાર સફાઈ કામદારના હાથે બનેલી રોટલી ખાવા પણ તેમની આ ઈચ્છા અધુરી રહી ગઈ.

 Shahid Diwas - 23rd March

Image result for shahid diwas

ભારતની મહિલા શૂટર ઈલાવેનિલે વર્લ્ડ રેકોર્ડ સાથે ગોલ્ડ મેડલ જીત્યો

- જુનિયર શૂટિંગ વર્લ્ડ કપમાં ભારતને બે ગોલ્ડ અને એક બ્રોન્ઝ

ભારતની ૧૮ વર્ષીય મહિલા શૂટર ઈલાવેનિલ વાાલરિવને જુનિયર વર્લ્ડ કપ શૂટિંગમાં વર્લ્ડ રેકોર્ડ તોડીને ડબલ ગોલ્ડ મેડલ જીત્યા હતા. કારકિર્દીમાં પહેલી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં રમી રહેલી ઈલાવેનિલે ૧૦ મીટર એર રાઈફલ ઈવેન્ટમાં વ્યક્તિગત ગોલ્ડ જીત્યો હતો અને તેણે શ્રેયા અગ્રવાલ અને ઝીના ખીટ્ટા સાથે મળીને ટીમ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો. ભારતના અર્જુન બાટુલાએ મેન્સ ૧૦ મીટર એર રાઈફલમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.

કારકિર્દીના બીજા જુનિયર વર્લ્ડ કપમાં ભાગ લઈ રહેલી યુવા શૂટરે ક્વોલિફાઈંગમાં નવો વર્લ્ડ રેકોર્ડ નોંધાવતા ૬૩૧.૪ નો સ્કોર કર્યો હતો. જે પછી ફાઈનલમાં પણ તેણે શાનદાર દેખાવ જારી રાખતાં ૨૪૯.૮ના સ્કોર સાથે ગોલ્ડન સફળતા મેળવી હતી. જ્યારે તાઈપેઈની લીન યીંગ શીનને સિલ્વર અને ચીનની વાંગ ઝેરુને બ્રોન્ઝ મળ્યો હતો. ઈલાવેનિલના શાનદાર દેખાવની મદદથી ટીમ ઈવેન્ટમાં પણ ભારતને ગોલ્ડ મળ્યો હતો. નોંધપાત્ર છે કે, ઈલાવેનિલને ગત વર્લ્ડ કપમાં બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

ગત વર્ષે એશિયન ચેમ્પિયનશીપમાં સિલ્વર મેડલ જીતનારા ભારતના અર્જુન બાટુલાએ ૨૨૬.૨નો  સ્કોર કરતાં બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો હતો. આ ઈવેન્ટમાં ચીનના યુકી લીયુને ૨૪૭.૧ ના સ્કોર સાથે ગોલ્ડ અને હંગેરીના ઝાલાન પેકલરને ૨૪૬ના સ્કોર સાથે સિલ્વર મળ્યો હતો.