મંગળવાર, 22 મે, 2018

વિશ્વ મધમાખી દિવસ- 21st May

Image result for world honey bee day india

- નવસારી કૃષિ યુનિવર્સિટીમાં
- વિશ્વ મધમાખી દિવસની ઉજવણી અંતર્ગત ૧૨૦ ખેડૂતોએ ભાગ લીધો : પ્રત્યક્ષ નિદર્શન કરાયું

નવસારી કૃષિ યુનિવર્સિટી ખાતે વિશ્વ મધમાખી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે મધમાખીને બચાવવાની જાણકારી તથા તેની વ્યવસાયિક તાલીમ માટે ૧૨૦ જેટલા ખેડૂતોએ ભાગ લીધો હતો.

નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિ ડો. સી.જે. ડાંગરીયાની અધ્યક્ષતામાં અને આંધ્રપ્રદેશના પૂર્વ ગવર્નર કૌમુદીનીબેનની ઉપસ્થિતિમાં યોજાયેલા કાર્યક્રમમાં ખેડૂતો મધમાખીના વ્યવસાયમાં રસ લેતા થાય તે માટે મધપુડાની પેટીને કૃષિ વિજ્ઞાાન કેન્દ્ર ખાતે લાવવામાં આવી હતી અને મધમાખીનો વ્યવસાયિક ઉછેર કઇ રીતે કરી શકાય તે માટે ટેકનીકલ જાણકારી અપાઇ હતી.


જેવી કે નર, રાણી તથા શ્રમિક મધમાખી ઓળખ, તેમનું જીવનચક્ર તેમાંથી મળતી વિવિધ આડપેદાશો માટે પ્રત્યક્ષ નિદર્શન તથા માહિતી અસ્મિતાબેન અશોકભાઇ પટેલ દ્વારા આપવામાં આવી હતી. મધમાખીની વર્ષોથી સફલ રીતે વ્યાપારિક ધોરણે ઉછેર કરનારા ખેડૂતોનું સન્માન કરાયું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો