બુધવાર, 25 એપ્રિલ, 2018


કેરીની ગોટલી ખાવાથી વિટામિન B-૧૨ની ઉણપ દૂર થઈ શકે

- ગુજરાતની ચાર કૃષિ યુનિવર્સિટીના નિષ્ણાતોએ સંશોધન આગળ ધપાવ્યું.
- ભારતમાં ૮૦ ટકા શાકાહારીઓમાં વિટામીન બી-૧૨ની ઉણપ હોય છે તે દૂર કરવામાં ગોટલી મદદરૃપ બની શકે છે.
કેરી ખાધા પછી કચરા તરીકે ફેંકી દેવામાં આવતા ગોટલામાંની ગોટલીનો ખાવામાં ઉપયોગ કરવામાં આવે તો માનવ શરીરમાંની વિટામિન બી-૧૨ની કમી દૂર કરી શકાય છે. તેવી જ રીતે આ ગોટલીમાંથી મળતું મેન્ગીફેરીન નામનું ઘટક માનવ બ્લડમાંના સુગરના લેવલને પણ નિયંત્રણમાં રાખવામાં મહત્વની ભૂમિકા ભજવતું હોવાનું તારણ સરદાર પટેલ કૃષિ યુનિવર્સિટીના ભૂતપૂર્વ વિદ્યાર્થી ગોરધનભાઈ પટેલનું કહેવું છે. ગુજરાતના ચાર કૃષિ યુનિવર્સિટીના સહયોગમાં તેઓ આ અંગેના સંશોધનોને વધુ વ્યાપક ફલક પર લઈ જવાનું આયોજન કરી રહ્યા છે.

કેરીની ગોટલીમાં સંતુલિત પ્રમાણમાં પ્રોટીન, કાર્બોહાઈડ્રાઈટ્સ, ઓઈલ અને ફાઈટોકેમિકલ્સ છે. આ બધાં ઘટકો વિટામિન બી-૧૨ની ઉણપથી પીડાતા ૮૦ ટકા શાકાહારીઓના શરીરમાં બી-૧૨નું લેવલ નોર્મલ કરવામાં મદદરૃપ થાય છે, એમ આજે ગુજરાત ચેમ્બરમાં યોજાયેલી એક પત્રકાર પરિષદને વિડિયો કોન્ફરન્સની સુવિધાથી સંબોધન કરતાં ગોરધનભાઈ પટેલે જણાવ્યું હતું

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો