ગુરુવાર, 8 માર્ચ, 2018


આંદામાનમાં ૧૬ દેશોની નૌકા કવાયત શરૃ : ભારતના ૧૭ યુધ્ધ જહાજ જોડાયા


- ૧૯૯૫માં પહેલી વાર 'મિલન' કવાયત હાથ ધરાઇ હતી
- આઠ દિવસીય કવાયતમાં ઓસ્ટ્રેલિયા, બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા અને સિંગાપોર પણ જોડાયા

- કટોકટીના કારણે માલદિવ્સે કવાયતમાં ભાગ લેવાના ભારતના આમંત્રણનો ઇનકાર


એશિયા વિસ્તારમાં વધતી જતી ગંતદીલી વચ્ચે ભારતીય નૌકા દળે આંદામાન-નિકોબાર ટાપુઓ ખાતે અગ્રણી નૌકા શક્તિઓ સાથે મળી  આઠ દિવસીય કવાયત હાથ ધરી હતી. દ્વીવાર્ષિક કવાયત 'મિલન' ભારતના બે પાડોશીઓ માલદિવ્સ અને શ્રીલંકામાં કટોકટી અને અશિયા વિસ્તારમાં ચીનની વધતી જતી શક્તિ વચ્ચે આ કવાયત હાથ ધરાઇ રહી છે. ભારતીય નૌકાદળના અધિકારીઓએ કહ્યું હતું કે કવાયતમાં ભારતના ૧૭ અને ઓસ્ટ્રેલિયાના ૧૧ સહિત બાંગ્લાદેશ, ઇન્ડોનેશિયા, મલેશિયા, મ્યાંમાર, સિંગાપોર, શ્રીલંકા અને થાઇલેન્ડ સહિત કુલ ૨૮ યુધ્ધ જહાજો ભાગ લઇ રહ્યા છે.

દસમી કવાયતનો ઉદ્દેશ ક્ષેત્રિય સહકાર વદારવા અને  મહત્વની  સમુદ્રી રેખાઓમાં ગેરકાયદે પ્રવૃત્તિઓને  રોકવાનો છે. હાલમાં કટોકટીમાંથી પસાર થઇ રહેલા માલદિવ્સે કવાયતમાં ભાગ લેવાના ભારતના આમંત્રણનો ઇનકાર કર્યો હતો.'યુધ્ધ જહાજો ઉપરાંત ૧૬ દેશોના ૩૯ પ્રતિનીધી મંડળો પણ આંતરરાષ્ટ્રીયઅને  પ્રતિષ્ઠીત કાર્યક્રમમાં ભાગ લેશે જે ૧૯૯૫ પછીથી સૌથી મોટો મેળાવડો હશે.

કવાયત દરમિયાન વિવિધ દેશોના પ્રતિનીધી મંડળો ક્ષેત્રિય સુરક્ષાની સ્થિતિ અને ચીનની વધતી જતી દખલગીરી અંગે ચર્ચા કરશે. હદ્દો જેટી પર પોતાના આગમન સમયે તમામ વિદેશી જહાજોનું ભારતીય પરંપરાગત રીતે બેન્ડ વગાડી સ્વાગત કરવામાં આવ્યું હતું.ભારતના આંદામાન-નિકોબાર કમાન્ડના ૧૧ અને  પૂર્વિય ફલિટના છ જહાજો ભાગ લઇ રહ્યા છે.

નવેમ્બરમાં ભારત, ઓસ્ટ્રેલિયા અને જાપાને મહત્તવના દરિયાઇ રૃટને સુરક્ષિત બનાવવા એક નવી રણનીતી ઘડવા લાંબા સમયથી બાકી ચૌતરફી કવાયત કરવા તૈયારી દર્શાવી હતી. આંદામાન-નિકોબર કમાન્ડના નેજા હેઠળ આ કવાયત હાથ ધરાઇ રહી છે. પહેલી વાર ૧૯૯૫માં 'મિલન'કવાયત હાથ ધરાઇ હતી જેમાં માત્ર પાંચ ડ નૌકાદળોએ ભાગ લીધો હતો.



ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો