મંગળવાર, 20 ફેબ્રુઆરી, 2018


ભારતની 40 કરતાં વધુ ભાષાઓ અને બોલીઓ લુપ્ત થવાના આરેઃ 22 શીડયુલમાં


- 22 શીડયુલ ભાષાઓ ઉપરાંત અન્ય 31ભાષાઓને વિવિધ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ સત્તાવાર ભાષાન
- 42 ભાષાઓ એવી છે જે માત્ર 10,000 લોકો જ બોલે છેઃ ટુંક સમયમાં લુપ્ત થશે
ભારતમાં ૪૦ ભાષા અથવા તો બોલીઓ એવી છે જે લુપ્ત  થવાને આરે છે, કારણ કે જુજ લોકો જ એને બોલે છે, એમ એક અધિકારીએ કહ્યું હતું.સેન્સસ ડાયરેકટરેટના એક અહેવાલ મુજબ, દેશમાં ૨૨ શિડયુલ અને ૧૦૦ નોન-શિડયુલ ભાષાઓ છે જેને એક લાખ કરતાં વધુ લોકો બોલે છે.જો કે ૪૨ ભાષાઓ એવી છે જે માત્ર ૧૦,૦૦૦ લોકો જ બોલે છે અને કદાચ  ટુંક સમયમાં એ પણ લુપ્ત થશે,એેમ ગૃહ મંત્રાલયના એક અધિકારીએ કહ્યું હતું.

યુનેસ્કો દ્વારા તૈયાર કરાયેલા એક અહેવાલમાં પણ ભારતની ૧૨ ભાષાઓ કે બોલીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે જે ટુંક સમયમાં લુપ્ત થશે.જે ભાષાઓ કે બોલીઓ લુપ્ત થઇ રહી છે તેમાં આંદામાન-નિકોબારની ૧૧, મણીપુરની સાત અને હિમાચલની પણ ચાર ભાષાઓનો સમાવેશ થાય છે.લુપ્ત થવાને આરે આવી ગયેલા અન્ય ભાષાઓમાં કર્ણાટક, આંઘ્ર પ્રદેશ, અરૃણાચલ પ્રદેશ, આસામ, ઉત્તરાખંડ, ઝારખંડ, માહારાષ્ટ્ર, મેઘાલય અને પશ્ચિમ બંગાળની કેટલીક ભાષાઓનો સમાવેશ થાય છે.

મૈસુરની સેન્ટ્રલ ઇન્સ્ટિટયુટ ઓફ ઇન્ડિયન લેગવેજીઝ  કેન્દ્ર સરકારની એક યોજના હેઠળ આ ભાષાઓ લુપ્ત ના થાય તે માટે એની ચાલુ રાખવા કે તેની જાળવણી કરવા કામ કરી રહી છે.

આ કાર્યક્રમ હેઠળ દ્વીભાષી શબ્દકોષ, વ્યાકરણનું વિવરણ, મોનોલિન્ગયુ, લોકબોલીઓનો શબ્દકોષ અને તમામ ભાષાઓનો એક એન્સાયકલોપીડિયા તૈયાર કરવામાં આવી રહ્યો છે.
દેશની ૨૨ શીડયુલ ભાષાઓ ઉપરાંત અન્ય ૩૧ ભાષાઓને વિવિધ રાજ્ય સરકારો અને કેન્દ્ર શાસિત પ્રદેશોએ સત્તાવાર ભાષાનો દરજ્જો  આપ્યો છે.

કઇ કઇ ભાષા લુપ્ત થઇ રહી છે

રાજ્ય

ભાષા

મણીપુર

અઇમોલ, અકા, કોઇરેન શોમપેન વગેરે

હિમાચલ

બાઘાતી, પગવલી, સુરમૌદી વગેરે

આંદામાન નિકોબાર   

જારવા, લુરો, મૌત, ઓન્ગે,પુ, વગેરે

કર્ણાટક

કોરાગો, કુરૃબા

ઓડિશા

માંદા, પારજી પેનગો વગેરે

તામિલનાડૂ

કોટા અને તોડા

અરૃણાચલ

મારા અને ના

આસામ

તોઇ નોરા અને તાઇ રોંગ

ઝારખંડ

બિરહોર

મહારાષ્ટ્ર

નિહાલી

મેઘાલય

રૃગા




ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો