ગુરુવાર, 18 જાન્યુઆરી, 2018

પ્રાંતિજના વદરાડના ફાર્મની ભારત, ઇઝરાયલના વડાપ્રધાનોએ મુલાકાત લીધી



-ઇઝરાયલના સહયોગથી તૈયાર થયેલા

-કૃષિકાંતિ માટે આહ્વાહન કરાયું, ખેડૂતો સાથે બંને વડાપ્રધાનોએ સંવાદ કર્યો

ઇઝરાયલના વડાપ્રધાનની ભારત મુલાકાત અંતર્ગત ગઈકાલે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઇઝરાયલના વડાપ્રધાન બેન્જામીન નેતાન્યાહુ સાબરકાંઠાના પ્રાંતિજ તાલુકાના વદરાડ ખાતે ઇન્ડો-ઇઝરાઇલ ફાર્મની મુલાકાત લીધી હતી. કૃષિ ટેકનોલોજી મામલે બંને વડાપ્રધાનોએ ખેડૂતો સાથે વિસ્તારપૂર્વક સંવાદ પણ કર્યો હતો. વડાપ્રધાનોને જોવાતેમને સાંભળવા અને આવકારવા મોટી સંખ્યામાં રસ્તાઓ પર મોટી સંખ્યામાં લોકો ઉમટી પડયા હતા.

ઇઝરાયલના સહયોગથી તૈયાર થયેલા વદરાડ સેન્ટર ઓફ એક્સેલન્સ ફોર વેજીટેબલ ખાતેની ભારત-ઇઝરાયલના વડાપ્રધાનની મુલાકાત યાદગાર બની રહી હતી. વર્ષ ૨૦૨૨માં આઝાદીના ૭૫માં વર્ષે ખેડૂતોની આવક બમણી કરવાના રાષ્ટ્રના સંકલ્પને સિદ્ધી સુધી પહોંચાડવામાં ઇઝરાયલની કૃષિ ટેકનોલોજી સહાયરૃપ બની રહેશે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું.

ઓછા પાણીના વપરાશમાં ગુણવત્તાયુક્ત કૃષિ ઉત્પાદનકૃષિ વેસ્ટ મેનેજમેન્ટમાં વૈજ્ઞાાનિક અભિગમ સાથે આધુનિક કૃષિ માટે આગળ વધવાનું પણ તેઓએ આહ્વાહન કર્યું હતું . કચ્છના કુકમા ખાતે ખારેક પાકના સેન્ટર ઓફ એક્સેલન્સનું ડીજીટલી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. મહાનુભાવોએ પ્લગ નર્સરીની પણ મુલાકાત લીધી હતી


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો