ગુરુવાર, 18 જાન્યુઆરી, 2018

ચેન્નાઇના દરિયા કિનારે ભારત અને જાપાનના કોસ્ટ ગાર્ડેની સંયુક્ત નૌકા કવાયત
- ભારતીય કોસ્ટ ગાર્ડના નવ જહાજ અને આઠ વિમાનોએ દ્વીવાર્ષિક કવાયતમાં ભાગ લીધો
૧૭ દેશોના નિરિક્ષકો, જાપાન કોસ્ટ ગાર્ડનું પ્રતિનીધી મંડળ અને નેશનલ મેરિટાઇમ સર્ચ એન્ડ રેસ્ક્યુ બોર્ડના સભ્યો હાજર રહ્યા


ભારતીય કોસ્ટ ગાર્ડ અને તેના જાપાની સમકક્ષના જહાજો અને વિમાનો એ ચેન્નાઇના દરિયા કિનારે યોજાયેલી સંયુક્ત નૌકા કવાયતમાં ભાગ લીધો હતો.દ્વી વાર્ષિક સર્ચ એન્ડ રેસ્ક્યુ એકસરસાઇઝ ૨૦૧૮માં ભારતીય કોસ્ટ ગાર્ડના નવ જહાજ અને વિમાનો તેમજ જાપાની કોસ્ટ ગાર્ડના જહાજ 'સુગુરૃ' અને હેલો (જહાજના ડેક પરના હેલિપેડ) સાથે ભાગ લીધો હતો.

બંગાળના આખાતમાં યોજાયેલી કવાયતમાં ભારતીય કોસ્ટ ગાર્ડના આઇસીજી સારંગ, શૌર્ય, વૈભવ, અનંઘ,રાની અબ્બાકા, અભીક. સી-૪૩૧. સી-૪૩૨ અને ત્રણ ડોનિયેર તેમજ ચેતક હેલીકોપ્ટરે ભાગ લીધો હતો.

કવાયત જોવા માટે આઇસીજીના ડાયરેકટર જનરલ રાજેન્દ્ર સિંહ અને જાપાનના સીજી કમાન્ડન્ટ એડમિરલ સાતોશી નકાજિના આવ્યા હતા. કવાયતનું નિરિક્ષણ કોસ્ટ ગાર્ડ ઇસ્ટર્ન રીજન, કમાન્ડર અને ઇન્સપેકટર જનરલ રાજન બરગોત્રાએ  કર્યું હતું. કવાયતને જોવા માટે ૧૭ દેશોના નિરિક્ષકો, જાપાન કોસ્ટ ગાર્ડનું પ્રતિનીધી મંડળ અને નેશનલ મેરિટાઇમ સર્ચ એન્ડ રેસ્ક્યુ બોર્ડૃના સભ્યો પણ હાજર રહ્યા હતા. કવાયતમાં ક્રુઝના અપહરણ અને બન્ને દેશોના દળો મુસાફરોની બચાવ કામગીરી સહિતના અનેરા દ્રશ્યો સર્જાયા હતા.

ભારતીય કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર જાપાની જહાજ પર અને જાપાની કોસ્ટ ગાર્ડનું હેલિકોપ્ટર ભારતીય જહાજ પર ઉતર્યું હતું. કવાયતમાં ક્રોસ બોર્ડીંગ તેમજ આગની ઘટનામાં કેવી રીતે કામ કરવું તે પણ દર્શાવવામાં આવ્યું હતું. કવાયતના અંતે વિમાનની નજીકની વિમાનને ઉડાડવા અને જહાજ પાસેથી જહાજને પાસ કરવાની કવાયત પણ કરવામાં આવી હતી. કવાયતમાં ૧૯૯૯માં બનેલી એક ઘટનાને પણ દર્શાવવામાં આવી હતી જેમાં જાપાની ફલેગશિપ એમવી એલોન્દ્રા રેનબોનું અપહરણ કરવામાં આવ્યું હતું.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો