બુધવાર, 29 નવેમ્બર, 2017

ભારત અને યુકેએ શહેરી પરિવહન ક્ષેત્ર બાબતે એમઓયુ પર હસ્તાક્ષર કરશે



ભારત અને યુનાઈટેડ કિંગડમ (યુકે) ટૂંક સમયમાં શહેરી પરિવહન ક્ષેત્રની નીતિ વિષયક આયોજન, ટેક્નોલૉજી ટ્રાન્સફર અને સંસ્થાકીય સંગઠનમાં સહકાર માટે મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MoU) પર સહી કરશે.

કેન્દ્રીય વાહનવ્યવહાર મંત્રી નિતિન ગડકરી અને લંડનના યુ.કે.ના સેક્રેટરી ઓફ સ્ટેટ ટ્રાન્સપોર્ટ યુ.કે. દ્વારા  એમઓયુનો મુસદ્દો ઘડ્યો હતો.

બંને દેશોએ ટ્રાન્સપોર્ટ ફોર લંડન (Transport for London - TFL) અને ભારતના માર્ગ પરિવહન અને હાઈવે મંત્રાલય વચ્ચે મે 2017 માં દ્વિપક્ષીય સહકારની વ્યવસ્થાને આખરી ઓપ આપી હતી જેમાં શહેરી વાતાવરણમાં પરિવહન ગતિશીલતાના વ્યાપક ઉકેલો અને સંકળાયેલ પ્રવૃતિઓનો સમાવેશ થાય છે.

મૂખ્ય હકીકત


ડ્રાફ્ટ એમઓયુ બંને દેશો વચ્ચે પરિવહન ક્ષેત્રના સહકારને સરળ બનાવવા અને કાર્યક્ષમ ગતિશીલતા સોલ્યુશન્સને પ્રોત્સાહન આપવા માટે નિષ્ણાત અને નવીનતમ તકનીકની વહેંચણીને સક્ષમ કરવા માંગે છે. તે નીતિ સુધારણાઓ લાવવાનો પ્રયત્ન કરે છે જે પરિવહન ક્ષેત્રને સુધારેલ ગ્રાહક સેવા અને માહિતી વિશ્લેષણ અને માહિતી ટેકનોલોજી (IT) સિસ્ટમોના વધુ સારા ઉપયોગ દ્વારા પરિવર્તિત કરી શકે છે. એમઓયુ દ્વારા ભારતમાં ડિજિટલ વ્યવહારો અને ઉચ્ચ ક્ષમતાવાળા ડીઝલ અને ઇલેક્ટ્રિક વાહનો (electric vehicles -EVs) ને પ્રમોટ કરવામાં મદદ કરશે. તે એવી શરતો પણ સ્થાપિત કરશે કે જેના પર આ પ્રકારની સહાયતા આપવામાં આવી શકે છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો