શનિવાર, 7 ઑક્ટોબર, 2017

ભારત અને યુરોપિયન યુનિયન વચ્ચે ત્રાસવાદ વિરોધી લડતની સંધિ



- ભારત યુરોપિયન યુનિયન વચ્ચે બેઠકમાં નિર્ણય

- શિખર પરિષદમાં ચર્ચાયેલા મુક્ત વ્યાપારની સંધિ મુદ્દે કોઈ પરિણામ ન મળ્યું

ભારત અને યુરોપિયન યુનિયને આજે ત્રાસવાદ સામે લડત જાહેર કરેલી હતી. ૧૪મી શિખર પરિષદ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ યુરોપિયન યુનિયનના નેતાઓની સાથે બેઠક યોજીને ત્રાસવાદ સામેની લડત તીવ્ર બનાવવાના પગલા અંગે ચર્ચા કરી હતી.

જો કે, વડાપ્રધાન સાથેની બેઠકમાં ચર્ચાયેલા મુક્ત વ્યાપાર અંગે કોઈ પરિણામ મળ્યું નથી. શિખર પરિષદમાં બંને પક્ષોએ ક્ષેત્રીય અને આંતરરાષ્ટ્રીય મુદ્દે સંબંધો મજબૂત બનાવવા ચર્ચા કરી હતી જેમાં રોંહિંગ્યા મુદ્દો પણ ચર્ચાયો હતો.


બંને પક્ષોએ આંતરરાષ્ટ્રીય સોલાર સંધિ સહિત ત્રણ કરાર થયા હતા. યુરોપિયન યુનિયન અને ભારતના સંબંધો ગાઢ છે. બ્રેક્ઝિટના અમલ બાદપણ આ સંબંધો મજબૂત રહેશે તેમ વડાપ્રધાને જણાવ્યું હતું.


ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો