બુધવાર, 2 ઑગસ્ટ, 2017

Happy Birthday to Gandhinagar…





આજે 2જી ઓગસ્ટ ગાંધીનગરનો ૫૩મો જન્મદિન છે.

ગુજરાત રાજ્યના પાટનગર ગાંધીનગરની બીજી ઓગસ્ટ ૧૯૬૫ના રોજ સ્થાપના થઈ હતી.. એક સમયનું સુમસાન ભાસતું આંધીનગર અત્યારે કર્મચારીનગરની છાપ ભુંસીને   સંસ્કૃતિનગર બની ગયું છે. એટલું જ નહીં, આવનારા દિવસોમાં સોલારસીટી, ગ્રીનસીટી, મોડલ સીટી, ક્લીનસીટી, સ્માર્ટ સીટીના તાજ લાગવાના છે તો મહાત્મામંદિર અને ગીફ્ટ સીટીની નવી ઓળખ પણ ગાંધીનગરને છેલ્લા વર્ષમાં મળી છે.


ગુજરાત રાજ્યની અલગ રચનાના પાંચ વર્ષ પછી બીજી ઓગસ્ટ, ૧૯૬૫ના રોજ પાટનગર ગાંધીનગરની સ્થાપના માટે પ્રથમ ઇંટ જીઇબીના ગેસ્ટહાઉસના નિર્માણ માટે મુકાઇ હતી. ગાંધીનગરની રચનામાં જુદાં જુદાં ૧૨ ગામોની ૨૩૮૨ ખેડૂતોની ૧૦,૫૦૦ એકટર ખેતીની જમીન તેમજ ૫૦૦૦ એકર ગૌચર - ખરાબાની કિંમતી જમીન વપરાઇ છે. ૧લી મે, ૧૯૭૦થી સચિવાલય કાર્યરત થવા સાથે સેક્ટર-૨૯ અને સે-૨૮માં વસવાટ શરૃ થયો હતો. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો