ગુરુવાર, 29 જૂન, 2017

ચીની નૌસેનાએ આજે દસ હજાર ટન વજન ધરાવતું મિસાઈલ ડિસ્ટ્રોયર યુદ્ધજહાજ લૉન્ચ કર્યું હતું…



ડ્રેગને ગ્લોબલ નેવલ પાવર બનવાના હેતુથી ઘરઆંગણે જ આ અત્યાધુનિક જહાજ વિકસાવ્યું છે. સુરક્ષા નિષ્ણાતોના મતે, ચીની સરકારે અમેરિકા અને ભારત જેવા મજબૂત નૌસેના ધરાવતા દેશોને ધ્યાનમાં રાખીને જ આ યોજના તૈયાર કરી હતી. આગામી દિવસોમાં ચીન હિંદ મહાસાગરમાં આ યુદ્ધજહાજ તૈનાત કરશે.

શાંઘાઈના જિઆંગન બંદરે નૌસેનાને વિધિવત અપાયેલું આ યુદ્ધજહાજ સંપૂર્ણપણે ચીની ટેક્નોલોજી આધારિત છે. ડિસ્ટ્રોયર શ્રેણીનું ચીનનું આ પહેલું યુદ્ધજહાજ છે, જેમાં એન્ટિ મિસાઈલ સિસ્ટમની સાથે એર ડિફેન્સ, એન્ટિ શિપ અને એન્ટિ સબમરિન વેપન સિસ્ટમ હોવાનો ચીની નૌસેનાએ દાવો કર્યો હતો.


ચીન સરકારે કહ્યું હતું કે, આ પ્રકારના યુદ્ધજહાજથી ચીની નૌસેનાને વધુ એક અત્યાધુનિક જહાજ મળશે.આ ડિસ્ટ્રોયરથી ચીની નૌસેનાની શક્તિમાં અનેકગણો વધારો થયો છે. આ મિસાઈલ ડિસ્ટ્રોયરની સાથે ચીન બે મહાકાય એરક્રાફ્ટ કેરિયર યુદ્ધજહાજો પણ ધરાવે છે. નૌસેનાનો આ કાફલો હિંદ મહાસાગરમાં તૈનાત કરવાનો ડ્રેગનનો ઈરાદો છે.

સિક્કિમ સરહદ ૨૨૦ કિમી સુધી ફેલાયેલી, ૨૦૦૮માં પણ બંકરો તોડયા હતા.

ભારત અને ચીનની સરહદનો કુલ વિસ્તાર ૩,૪૮૮ કિમીનો છે.જે જમ્મુ કાશ્મીર અને અરુણાચલ પ્રદેશ સાથે સંકળાયેલો છે. 

હાલ સિક્કિમની જે સરહદે ભારત અને ચીન વચ્ચે વિખવાદ ચાલી રહ્યો છે તે આશરે ૨૨૦ કિમી સુધી ફેલાયેલી છે. આ જ વિસ્તારમાં ચીની સૈનિકોએ ભારતના બે બંકરો ઉડાવી દીધા હતા. 

જ્યારે એક બંકર પર હવે બુલડોઝર ફેરવી દીધુ હોવાના અહેવાલો છે. આ બંકર હટાવવા પહેલા ચીની સૈનિકોએ ભારતીય સૈનિકો પર દબાણ કર્યું હતું. જેને સ્વીકારવાની ભારતે ના પાડી દીધી હતી. જે બાદ બળજબરીથી ચીની સૈનિકો બુલડોઝર લઇને સરહદમાં ઘુસ્યા હતા અને આ બંકર પર બુલડોઝર ફેરવી હટાવી દીધુ હતું. ૨૦૦૮માં પણ ચીની સૈનિકોએ આ જ રીતે ભારતના બે બંકરો તોડયા હતા. 

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો