ગુરુવાર, 4 મે, 2017

બાબા કેદારનાથના દર્શન કરવા જનારા મોદી પહેલા વડા પ્રધાન

મોદીની સાથે ઉત્તરાખંડના રાજ્યપાલ કે.કે. પૌલ અને મુખ્ય પ્રધાન ત્રિવેન્દ્રસિંહ રાવત પણ હતા.

૨૮ વર્ષમાં આ મંદિરના દર્શન કરવા જનારા મોદી પહેલા વડા પ્રધાન છે. તેમની પહેલા ૧૯૮૯માં તત્કાલીન વડા પ્રધાન વીપી સિંહે આ મંદીરની મુલાકાત લીધી હતી.

મોદીને અહીંના મહંતે પુસ્તકો, ચાદર વગેરે ભેટમાં આપ્યા હતા. આશરે ૨૦ મિનિટ સુધી મોદી મંદિરમાં રોકાયા હતા. વેકેશન બાદ કેદારનાથના કપાટ બુધવારે પહેલી વખત ખોલવામાં આવ્યા હતા અને મોદી પ્રવેશ કરનારા પહેલા દર્શનાર્થી હતા.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો