શુક્રવાર, 19 મે, 2017

ખાદ્ય ચીજો પર 0% GST : કાર, ફ્રિજ, AC પર ૨૮%

આજે શ્રીનગરમાં ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલની બેઠક યોજાઇ હતી.

·      જેમાં ઘંઉ, ચોખા, અનાજ, કઠોળ અને દૂધ-દહીં પર જીએસટી લાગુ જ ન કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હોવાથી તેના ભાવ નીચા રહેશે.
·         સાબૂ,માથામાં નાખવાનું તેલ અને ટૂથપેસ્ટ પર અત્યારે ૨૨થી ૨૪ ટકાનો ટેક્સ આવે છે તેને સ્થાને ૧૮ ટકા જીએસટી લગાડવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
·         અત્યારે દેશના કેટલાક રાજ્યોમાં ઘઉં અને ચોખા પર પણ વેટ વસૂલવામાં આવી રહ્યો છે. તેના પર જીએસટી ન લાગુ કર્યો હોવાથી તેના દામ નીચા રહેશે.
·      જીએસટી કાઉન્સિલની મિટિંગના પહેલા જ દિવસે ૧૨૧૧ આઈટેમ્સના જીએસટીના રેટ નક્કી કરવામાં આવ્યા છે. પહેલી જુલાઈથી આ દર લાગુ પડે તેવી ધારણા છે.
·         મીઠાઈ પર પાંચ ટકાના દરે ટેક્સ લેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
·         સાકર, ચા, કોફી (ઇન્સ્ટન્ટ કોફી સિવાયની કોફી), ખાદ્ય તેલ પર પાંચ ટકાના દરે જીએસટી લેવામાં આવશે.
·         કોલસા પર અત્યારે ૧૧.૬૯ ટકાના દરે વેરો લેવામાં આવે છે, ત્યારે તેના પર માત્ર ૫ ટકાના દરે જીએસટી લેવાનું નક્કી કરવામાં આવ્યું છે. તેનો સીધો લાભ પાવર જનરેટિંગ કંપનીઓને મળશે.

કઇ વસ્તુ પર કેટલો જીએસટી

ચીજવસ્તુ                      
જીએસટીના દર
દૂધ, દહીં, અનાજ, ઘઉં, ચોખા કઠોળ
શૂન્ય ટકા
મોટર, ફ્રીજ, એરકન્ડિશનર
૨૮ ટકા
ઠંડા પીણા
૨૮ ટકા
હેરઓઈલ, સાબૂ,ટૂથપેસ્ટ
૧૮ ટકા
ખાદ્યતેલ, કોલસો, જીવનરક્ષક દવા
૫ ટકા

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો