શુક્રવાર, 24 માર્ચ, 2017

મોદી સરકારનો મોટો નિર્ણય : નવું પછાતવર્ગ પંચ રચાશે

Date :- 24/03/2017

ઓબીસી પંચ રદ, તેનું સ્થાન હવે નવું NSEBC પંચ લેશે : હવે અન્ય પછાતવર્ગને અનામત આપવાનો અધિકાર સંસદ પાસે
મોદી સરકારનો મોટો નિર્ણય : નવું પછાતવર્ગ પંચ રચાશે

જાટ, ગુર્જર, મરાઠા કે પાટીદારો સહિત અનામતનાં લાભો મેળવવાની માગ કરતાં લોકો, સમુદાયોની માગણી સંતોષવા માટે મોદી સરકારનું મહત્વનું પગલું : નવા NSEBC પંચને બંધારણીય દરજ્જો અપાશે : બંધારણમાં સુધારા કરીને સંસદમાં તેને પસાર કરાશે : હવે સંસદની મંજૂરી વિના ઓબીસીમાં નવી જાતિનો સમાવેશ નહીં.

નેશનલ કમિશન ફોર સોશિયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસિસ (NSEBC) રીતે અસ્તિત્વમાં આવશે

1. સામાજિક નએ આર્થિક રીતે પછતવર્ગના લોકો માટે નવું રાષ્ટ્રીય પંચ રચવું. જેમાં બંધારણમાં સુધારો કરીને અનુચ્છેદ ૩૩૮B ને જોડવો.
2. બંધારણના અનુચ્છેદ ૩૪૧ અને ૩૪૨ સાથે અનુચ્છેદ ૩૪૨A ને જોડવાની કામગીરી કરવી આને કારણે કેન્દ્ર સરકારની ઓબીસી યાદીમાં નવી જાતિનું નામ ઉમેરવા કે હટાવવા માટે સંસદની મંજૂરી  લેવાનું આવશ્યક બનશે.
3. બંધારણના અનુચ્છેદ ૩૬૬માં ૨૬C ની જોગવાઈને જોડવામાં આવશે અને દેશમાં સામાજિક તેમજ આર્થિક રીતે પછાતવર્ગનાં લોકોની નવી વ્યાખ્યા નક્કી કરવામાં આવશે.
4. અગાઉનાં નેશનલ કમિશન ફોર બેકવર્ડ ક્લાસિસ એક્ટ ૧૯૯૩ ના કાયદાને પણ નવો કાયદો બને ત્યાં સુધી રદ કરવામાં આવશે.
5. કાયદા હેઠળ રચવામાં આવેલાં ઓબીસી કમિશનને વિખેરી નાખવામાં આવશે.
6. બંધારણમાં સુધારા કરીને નવું પંચ નેશનલ કમિશન ફોર સોશિયલ એન્ડ એજ્યુકેશનલી બેકવર્ડ ક્લાસિસ (NSEBC) ની રચના કરવામાં આવશે. પંચમાં એક ચેરપર્સન, એક વાઇસ ચેરપર્સન અને ત્રણ સભ્યોની નિયુક્તિ કરવામાં આવશે.





ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો